બગીચામાં ફૂલો આવતા હોય તો પતંગિયાનું આકર્ષણ થાય, જ્યાં ફૂલો હોય ત્યાં મધમાખીનું પણ આગમન થાય, મધમાખી અને પતંગિયા વધુ ફળો લાવવા માટે ફલીનીકરણ માટે મદદ કરે છે.
તમારા કિચન ગાર્ડનમાં થોડા ફૂલો જેવા કે મેરીગોલ્ડ, કેલેન્ડ્યુંલા, વરબેના, બારમાસી વગેરે લગાડો અને સાથે સાથે મોટા કુંડામાં વરીયાળી ના ચક્કર (ફૂલ) આવે ત્યારે પતંગિયા જરૂર આવશે.
વરીયાળી તમે કરીયાણાના વેપારી પાસેથી લાવો ત્યારે થોડી વાવી દેજો.
