આહાર અને પોષણ સાથે સંકળાયેલા તબીબોની ભલામણ મુજબ શરીરની તંદુરસ્તી માટે પુખ્ત ઉમરની વ્યક્તિએ દરરોજ પોતાનાં ખોરાકમાં ૩૦૦ ગ્રામ તાજાં અને સારી ગુણવત્તાવાળાં લીલાં શાકભાજી લેવાં જોઈએ. હાલમાં બજારમાં મળતાં ખેડૂતોએ પકવેલાં મોટા ભાગનાં શાકભાજીમાં રસાયણયુક્ત ખાતર, ઝેરી જંતુનાશક દવાઓના અવશેષો કે ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાની શક્યતાઓ રહેલી છે. આવા દૂષિત શાકભાજી ખાવાથી આપણા શરીરની તંદુરસ્તીને લાંબે ગાળે વિપરીત અસર થાય છે તેથી આપણે આપણા ઘર આંગણે શાકભાજી ઉછેરવા જોઈએ,
ચાલો આ ચોમાસે ઘર આંગણે કિચન ગાર્ડન બનાવીયે અને આખું વર્ષ જાતે શાકભાજી ઉગાડીને ઓર્ગનિક ખાઈએ આ માટે જરૂરી બધીજ માહિતી માટે ટેલિગ્રામ અથવા વોટ્સએપ ગ્રુપ અથવા રાજકોટ કિચન ગાર્ડનિંગ કૉમ્યુનિટી ફેસબુક પેજ લાઈક કરો 9825229966
