My Organic Garden Blog

અમિતભાઈ પૂછે છે કે મારે વૃક્ષના પાન બેવડાય છે અને તેમાં કયો રોગ લાગ્યો હશે ? અને તેનો ઉપાય જણાવશો.
વરસાદી વાતાવરણ અને સૂર્ય પ્રકાશ જ્યાં પહોંચ્યો ન હોય ત્યાં ઘણી વખત ફૂગ લાગે છે તેથી પાન પર કાળી ફૂગ જોવા મળે છે, નકામી ડાળીઓ કાપીને ભવિષ્યમાં આવું ન થાય તેવું કરી શકાય . ફૂગનાશક + કોપર નો છંટકાવ કરી શકાય. ઘણીવાર આવાજ લક્ષણો કાળી મોલો નામની જીવાત ખૂબ લાગી હોય તો પણ જીવાતની હગારથી ત્યાં ફૂગ લાગે છે ત્યાં ફુગનાશક સાથે જંતુનાશકનો છંટકાવ કરી શકાય. પણ સલાહ છે કે વૃક્ષો પોતાની મેળે આની સામે લડીને સારા થઈ જતાં હોય છે થોડી રાહ જુઓ. Read more...
રાજેશભાઈ પૂછે છે કે મારે કરંજ ના પાનમાં આવા ટપકા થઇ ગયા છે તો શું કરવું ?
રાજેશભાઈ આ વૃક્ષમાં લીફમાઈનેર નામની સુક્ષ્મ જીવાત આવી છે . તે પાંદડાની બે પડ વચે રહી ને ખોરાક લે છે આનું નિયંત્રણ એકતારા નામની જંતુનાશક થી થઈ શકે તેનો ઘાટો છંટકાવ કરવો. વૃક્ષોમાં ખાસકરીને કરંજ માં આવું જોવા મળે છે . Read more...