My Organic Garden Blog

ઘર આંગણે શાકભાજી ટેરેસ ગાર્ડન કઈ જગ્યાએ કરવું ?
આંગણે લીલાછમ શાકભાજી વાવવા છે પક્ષીઓના મીઠા ટહુકા સાંભાળવા છે અને ઘરની ફરતે શેરીમાં લીલા છમ વૃક્ષો વાવવા છે. ચોમાસુ નજીક આવી ગયું છે ત્યારે આપણે આંગણામાં શાકભાજી ઉગાડવા હોય તો તેના માટે થોડો વિચાર કરીએ. ફળીયામાં ક્યા સ્થળે સવારથી સાંજ સુધીનો સીધો તડકો આવતો હોય તેવી જગ્યા શાકભાજી ઉગાડવા માટે પસંદ કરી શકાય. જયા છાયો આવતો હોય ત્યાં શાકભાજીનો વિકાસ થતો નથી ક્રોટોન જેવા શોભા ના છોડ  વાવી શકાય. શહેરમાં બાજુ બાજુમાં મકાનો હોય, ફળીયુ નાનું હોય અને પુરતો સૂર્ય પ્રકાશ મળતો નવા હોય તો મકાનની છત ઉપર એટલે... Read more...
પાણી આપતી વખતે પાણી પિચકારીની જેમ આપીએ ત્યારે માટી છોડ ઉપર ઉડે તો શું થાય?
જુઓ આપણી માટીમાં અસંખ્ય ફૂગ અને બેક્ટેરિયા રહેતા હોય છે તે માટીના કણો છોડ ઉપર ઉડે અને પાંદડા ઉપર ભેજ સાથે ચોંટે તો ઘણી વખત પાન ના ટપકા, પાનના રોગો લાગવાની શક્યતા વધી જાય છે તેથી પાણી આપો ત્યારે માટી છોડ ઉપર ન ઉડે તે જોવું અને વધુ વરસાદ પછી બધા છોડ ઉપર કોપર અથવા સાફ નામનો પાવડર છાંટી દેવો નહીંતર આટલા વધુ વરસાદને લીધે પણ ખરી જશે  Read more...
બગીચાના કુંડ કે ગ્રો બેગ માં સેલ્ફ વોટરિંગ કરવું હોય તો આઈડિયા બતાવો -1
ખેતી માં પાક ને પાણી પાવા માટે અલગ અલગ પદ્ધતિ જેવી કે ધોરીયા ક્યારા પદ્ધતિ , ફુવારા પદ્ધતિ , ટીપા પિયત પદ્ધતિ અને માટી માં પાણી સચવાય રહે તેની ઝેબા પદ્ધતિ હોય છે ;ઘરઆંગણે ની કુંડ કે ગ્રો બેગ માં પિયત આપવા આપણે પાઇપ દ્વારા કે ડોલ દ્વારા આપીયે છીએ , ટીપા પિયત પદ્ધતિ એટલે કે ડ્રિપ ઇરીગેશન દ્વારા દરેક ગ્રોબેગ ને ટીપે ટીપે આપવા પદ્ધતિ લગાડી શકીયે , એક માળ ની ટાંકી ; માંથી ફિલ્ટર લગાડેલ ડ્રિપ ટ્યુબ દ્વારા આપી શકાય , આ ડ્રિપ ટ્યૂબ જાતે અથવા પ્લમ્બર દ્વારા... Read more...
શાકભાજી ગ્રોબેગમાં વાવ્યા હોઈ તો પાણી ક્યારે આપવું ?
શાકભાજીને સફળતાપુર્વક ઉગાડવામાં પાણી અગત્યની છે. માટીના સ્પર્શથી પણ શાકભાજીને પાણી આપવાની જરૂરીયાત છે કે નહિ તે જાણી શકાય છે.ગ્રોબેગ માં રોજ થોડું થોડું પાણી આપવા એક પાણી ના જારા ની આવશ્યકતા રહે છે, યાદ રાખો માટી ના સ્પર્શ થી તમારા કુંડામાં પાણી ની જરૂરિયાત છે કે તે પહેલા ચકાસવું , ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે પાણી આપવું.અને ઉનળામાં માટી સુકાય નહિ તે ધ્યાન રાખવું , ઉનાળામાં સવારે અથવા સાંજે પાણી આપવાનું રાખવું બપોરે તડકામાં નહિ ,  શાકભાજીને સાધારણ રીતે સાંજે પાણી આપવું. સુર્યના તાપમાં પાણી આપવું હિતાવહ નથી. Read more...
મારી ગ્રો બેગમાં અને કુંડામાં તડકાથી પાણી ઉડી જાય છે ભેજ સાચવવા શું કરવું ?
ખૂબ જ સહેલો ઉપાય છે મલ્ચિંગ કરવું, મલ્ચ માટે તમે ઘઉનું પરાળ, લાકડાનો વેર વાપરી શકો, તમારું આપેલું પાણી ઇવોપરેશન એટલે કે બાષ્પીભવન રોકશે. જમીનમાં ભેજ જળવાઈ રહેશે. Read more...