My Organic Garden Blog

વાનસ્પતિક જંતુનાશકો : કિચન ગાર્ડનની ચુસીયા જીવાત માટે મરચા - લસણપેસ્ટ માંથી દવા કેમ બનાવવી ?
પાંદડાને નુકશાન કરતી જીવાતને દૂર રાખવામાટે મરચા-લસણનો અર્ક : મરચા-લસણનો અર્ક પાંદડાને નુકસાન કરતી જીવાત માટે ઉપયોગી છે. લસણમાં રહેલ સલ્ફર અને મરચામાં રહેલ કેપ્સીસીન જીવાતને અવરોધે છે. તૈયાર કરવાની પદ્ધતિ : ૫૦૦ મિલી પાણીમાં બે કંદ લસણના અને 10 નંગ ખુબ તીખા લાલ કે લીલા મરચા છુંદીને કે ગ્રાઈન્ડ કરી એક રાતભર રાખી દો. સવારે બારીક કપડાથી ગાળી લો અને ત્યારબાદ તેમાં સાદા સાબુનુ ( ડીટર્જટ) દ્રાવણ થોડું ઉમેરી દો. આ પાણી સ્પે પંપથી છોડ પર છાંટવુ. Read more...
કિચન ગાર્ડન માંટે વાનસ્પતિક જંતુનાશક : નીમાસ્ત્ર જાતે બનાવવાની વિધિ શું ?
ચુસીયા પ્રકારની જીવાતો અને મીલીબગના નિયંત્રણ માટે ઉપયોગી નિમાસ્ત્ર કેમ બનાવવું ? નિમાસ્ત્ર બનાવવાની વિધિ એક કાચના કે પ્લાસ્ટિક વાસણમાં 1 લિટર પાણી લો. તેમાં 50 મીલી ગૌમુત્ર અને 50 ગ્રામ ગાય નું છાણ ઉમેરો. 100 ગ્રામ લીમડાના પાનને છુંદી માવો(લુગદી) બનાવી આ મિશ્રણમા ભેળવો. બરાબર હલાવી આ મિશ્રણ 24 કલાક ઢાંકીને આથવણ આવવા દો. દિવસમાં ચાર- પાંચ કલાકે મિશ્રણ થોડુ હલાવતા રહેવું. તૈયાર મિશ્રણને બારીક કપડા વડે ગાળી લો. છોડ પર છંટકાવ કરવા 1 લિટર પાણીમા 100 મીલી નીમાસ્ત્ર મેળવી સ્પ્રે પંપમાં ભરી છોડ પર છંટકાવ કરો. યુસીયા પ્રકારની... Read more...