આપણા કિચન ગાર્ડનમાં સફેદ આકારની ચુસીયા જીવાત જે ખાસ કરીને જાસુદ , પપૈયા , ચંપો અને મોટાભાગના શાકભાજીમાં દેખાત છે તેને મીલીબગ કહેછે , મીલીબગનો ઉપદ્રવ વધુ હતો ત્યારે 1 લિટર પાણીમાં 5 થી 8 મિલી લીંબુનો રસ નાખી છંટકાવ કરવાથી સારું પરિણામ ખેડૂતોને મળ્યું છે. અમારા અવલોકન પ્રમાણે ખટાશથી જીવાતની દેહધાર્મિક ક્રિયામાં અવરોધ પેદા થાય છે. એકદમ અક્સીર પદ્ધતિ માલુમ પડી છે. અથવા નીમ ઓઇલ સાથે ચપટીક ડિટર્જન્ટ સાથે છાંટવાથી પરિણામ મળે છે , આ જીવાત ઉડતી નથી તે તમારા છોડમાં થડ કે બીજા છોડ ને ડાલી અડતી હોઈ ત્યાંથી તમારા છોડ પર આવે છે
થડ પર શેલો ટેપ લગાડવાથી તે છોડ ઉપર ચડી સકતી નથી
