દરેક વ્યકિતને સ્વસ્થ અને નિરોગી જીવન વિતાવવા માટે રોજના ૧૭૫ ગ્રામ ફળ તથા
૩૦૦ ગ્રામ શાકભાજી જેમાં કંદમૂળ , પાંદડા વાળા , લીલા શાકભાજી આહારમાં લેવા
જોઈએ .
તેના માટે કિચન ગાર્ડનીંગ એક ઉતમ ઉપાય છે. કિચન ગાર્ડનીંગ દ્વારા આજના
યુગમાં સ્વાસ્થયને હાનિકારક રસાયણ રહિત ઓર્ગનિક શાકભાજી તથા ફળો આપણી નજર સામે
જાત મહેનતે ઉગાડી શકાય છે. જે માટે ઘણા ઓછા સમય સાથે શારીરિક કસરત પણ થાય
છે , વિશેષમાં જાતે પકવેલા શાકભાજીનો આનંદ અનેરો હોય છે . કિચન ગાર્ડનીંગના
અનેક ફાયદાઓ છે , કિચન ગાર્ડનિંગ ખુબજ સરળ અને સહેલી રીતે કરી શકાય છે
